એપ્રિલ મહિનામાં છત્તીસગઢના ડોંગરગઢમાં એક રોપ-વે ટ્રોલી તૂટી પડી હતી. આ વીડિયોને બનારસના નામે વાયરલ કરવામાં આવી રહ્યો.

આવતા વર્ષે વારાણસીમાં રોપ-વે ખુલવાની ધારણા છે. આ પહેલા ટ્રાયલ અને સલામતી તપાસ ચાલી રહી છે. આ દરમિયાન, વારાણસીની રોપ-વે સિસ્ટમને જોડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં, ભાજપના નેતાઓ રોપવે ટ્રોલી પડી જવાથી ઘાયલ થયેલા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “વારાણસીમાં ઉદ્ઘાટન દરમિયાન રોપવે ટ્રોલી પડી જવાથી ભાજપના નેતા ઘાયલ થયા હતા.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 27 સપ્ટેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વારાણસીમાં ઉદ્ઘાટન દરમિયાન રોપવે ટ્રોલી પડી જવાથી ભાજપના નેતા ઘાયલ થયા હતા.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 25 એપ્રિલના રોજ ETV ભારતની વેબસાઇટ પર એક સંબંધિત સમાચાર પ્રકાશિત થયા હતા. વાયરલ વીડિયો ક્લિપના કેટલાક ભાગો તેમાં જોઈ શકાય છે. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ ઘટના છત્તીસગઢમાં બની હતી, જ્યાં ડોંગરગઢમાં મા બામલેશ્વરી મંદિરની ટેકરી પર સ્થિત એક રોપવે ટ્રોલી તૂટી પડી હતી. આ ઘટનામાં ભાજપના નેતા રામસેવક પૈકરા ઘાયલ થયા હતા. ભાજપના પ્રદેશ મહાસચિવ ભરત વર્મા પણ ઘાયલ થયા હતા. બંનેને રાજનાંદગાંવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રોલી મંદિરમાંથી નીચે ઉતરતી વખતે આ અકસ્માત થયો હતો.”

તેમજ વધુ સર્ચ કરતા અમને આ જ સમાચાર ટીવીનાઈન મધ્યપ્રદેશ-છત્તીસગઢની યુટ્યુબ ચેનલ પર પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ પણ 25 એપ્રિલના રોજ તેમના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરી હતી, જેમાં અકસ્માતમાં ઘાયલ થયેલા ભાજપ નેતાના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો વારાણસીનો નહીં પરંતુ છત્તીસગઢનો છે. વારાણસીમાં રોપ-વે તુટી પડી ગયા હોવાની વાત તદ્દન ખોટી છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:છત્તીસગઢમાં રોપવે ટ્રોલી પડી જવાનો જૂનો વીડિયો બનારસના નામે વાયરલ થઈ રહ્યો…જાણો શું છે સત્ય..
Fact Check By: Frany KariaResult: False
