ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો

અમદાવાદના પૂર્વ અને પશ્ચિમને જોડતા બે બ્રિજને લઈ જોખમી થયા હતા. ત્યારે હાલમાં રવિવારે સવારે એક બ્રિજને લઈ સોશિયલ મીડિયામાં સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જેમાં શહેરનો ઈન્દિરા બ્રિજ વાહનો માટે અને લોકોની અવર-જવર માટે જોખમી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ તારીખ 04 જાન્યુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમદાવાદ શહેરનો ઈન્દિરા બ્રિજ વાહનો માટે અને લોકોની અવર-જવર માટે જોખમી.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને અમદાવાદ એક્ઝક્લુઝિવ દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એક લેટર સાથે માહિતી આપવામાં આવી હતી કે, “અમદાવાદ-ગાંધીનગરને જોડતા ઈન્દિરા બ્રિજમાં તિરાડ માત્ર ‘અફવા’ પાટનગર ગાંધીનગરને અમદાવાદ સાથે જોડતા સાબરમતી નદી પરના સૌથી પ્રીમિયમ બ્રિજ ઈન્દિરા બ્રિજમાં ગાબડાની વાતો માત્ર અફવા, મોસમને કારણે એક્સપાન્શન જોઈન્ટનું મટીરિયલ ઉખડ્યું; તંત્ર.”
તેમજ વધુ સર્ચ કરતા અમને ન્યુઝ 18 દ્વારા પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “અમદાવાદ અને ગાંધીનગરને જોડતા અતિ મહત્વના ગણાતા ઇન્દિરા બ્રિજ પર મોટી તિરાડોના સમાચાર પણ હાલ વાયુવેગે ફેલાયા હતા. જોકે, આ સમાચાર વાયરલ થયા બાદ ગાંધીનગરના કાર્યપાલક ઇજનેરે સ્પષ્ટતા કરી છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે, “ઇન્દિરા બ્રિજ પર તિરાડો અંગેની વિગતો તદ્દન ખોટી અને ભ્રામક છે.”

તેમજ અમે વધુ સર્ચ કરતા અમને ગાંધીનગરના કાર્યપાલક ઇજનેર દ્વારા બહાર પાડવામાં આવેલો સ્પષ્ટતાનો લેટર પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે વાંચી શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. અમદાવાદ-ગાંધીનગરને જોડતો ઈન્દિરા બ્રિજમાં તિરાડ હોય અને જોખમી હોવાની વાત તદ્દન ખોટી છે. આ એક અફવા હોવાનું તંત્ર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યુ છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:શું ખરેખર અમદાવાદનો ઈન્દિરા બ્રિજ જોખમી બન્યો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False


