શું ખરેખર લો-ગાર્ડનની ચણિયા-ચોળીની દુકાન બંધ કરાવી…? જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National સામાજિક I Social

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સવારના સમયનો છે અને લો ગાર્ડન ચણિયા-ચોલી માર્કેટ બપોર બાદ ખુલે છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદની પ્રખ્યાત લો ગાર્ડન માર્કેટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બધી દુકાનો ખાલી હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદની પ્રખ્યાત ચણિયા-ચોળીની દુકાનો બંધ કરાવી દેવામાં આવી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 27 નવેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમદાવાદની પ્રખ્યાત ચણિયા-ચોળીની દુકાનો બંધ કરાવી દેવામાં આવી.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વીડિયોના કોમેન્ટ બોક્સમાં જોયુ તો તેમાં અમને એક કોમેન્ટ જોવા મળી હતી, સંજય આંબલિયા નામના યુઝર્સ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, “ભાઈ ખોટી અફવા ન ફેલાઓ મારો પથારો ચણિયા ચોળી લાઇન માજ છે એમને 4 વાગ્યા પછી બેસવાનું કહ્યું છે. અને કોલેજ ની દીવાલ ને અડીને જે ચેપલ વાળા ની લાઇન હતી તે હટાવી દેવામાં આવી છે.

ત્યારબાદ અમે સંજય આંબલિયાનો ફોન કરી સંપર્ક સાધ્યો હતો. તેણે અમને જણાવ્યુ હતુ કે, “આ વીડિયો વહેલી સવારના સમયનો છે. અમારી માર્કેટ બપોરબાદ શરૂ થાય છે. તેમજ ચણિયા ચોલીની સામે કોલેજના ફૂટપાથ પરના પથારા દૂર કરવામાં આવ્યા હતા. લોગાર્ડન માર્કેટ બંધ કરી દેવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે.” 

ત્યારબાદ અમારી ગુજરાતી ટીમ દ્વારા પણ આ માર્કેટની મુલાકાત લેવામાં આવી હતી. આ માર્કેટ ખુલ્લી હોવાનું જાણવા મળ્યુ હતુ. આ વીડિયોને ખોટા અને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સવારના સમયનો છે અને લો ગાર્ડન ચણિયા-ચોલી માર્કેટ બપોર બાદ ખુલે છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર લો-ગાર્ડનની ચણિયા-ચોળીની દુકાન બંધ કરાવી…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Misleading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *