
બાંગ્લાદેશમાં હિંસા અને તોફાન વચ્ચે હિંદુઓ પર અત્યાચારના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને શેર કરીને અનેક દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બાંગ્લાદેશની સેનાએ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહને ચેતવણી આપી છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 08 ડિસેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બાંગ્લાદેશની સેનાએ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહને ચેતવણી આપી છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને બાંગ્લાદેશી ચેનલ જમુના ટીવીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ઓરિજનલ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે 7 ડિસેમ્બર 2024ના અપલોડ કરવામાં આવ્યો હતો જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ભારતીય ઓચર આર્મી આ દેશમાં સહન કરવામાં આવશે નહીં”. નિવૃત્ત આર્મી ઓફિસર્સ”
ઉપરોક્ત માહિતીના આધારે કીવર્ડ સાથે સર્ચ કરવાથી અમને ઘણા સમાચાર મળ્યા. ‘શોમોયર આલો’ની વેબસાઈટના સમાચાર મુજબ, વાયરલ વીડિયો 7 ડિસેમ્બર 2024ના રોજ યોજાયેલા વિરોધનો છે. આ પ્રદર્શન “ભારતીય આક્રમણ” સામે એકતાની માંગ સાથે યોજવામાં આવ્યું હતું.
તેમજ વધુ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ પ્રદર્શન બાંગ્લાદેશ આર્મીના નિવૃત્ત અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન ઢાકાના RAOWA ક્લબમાં કરવામાં આવ્યું હતું. RAOWA એ બાંગ્લાદેશ આર્મીના નિવૃત્ત અધિકારીઓનું કલ્યાણ સંગઠન છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, બાંગ્લાદેશના એક નિવૃત્ત કર્નલના નિવેદનોને બાંગ્લાદેશ આર્મીના વર્તમાન નેતૃત્વને જવાબદાર ઠેરવીને ભ્રામક દ્વારા સાથે ફેલાવવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર બાંગ્લાદેશ આર્મી દ્વારા નરેન્દ્ર મોદી, અમિત શાહને ચેતવણી આપવામાં આવી…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Missing Context
