શું RBIએ 1 સપ્ટેમ્બરથી બેંકોમાં 500 રૂપિયાની નોટ જમા કરાવવાનો આદેશ આપ્યો…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંકે 1 સપ્ટેમ્બરથી બેંકોમાં પાંચસો રૂપિયાની નોટો જમા કરાવવાનું ફરજિયાત બનાવી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નવો નિયમ નકલી નોટો પર કડક કાર્યવાહી કરવા અને ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે જારી કરવામાં આવ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 31 ઓગસ્ટ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારતીય રિઝર્વ બેંકે 1 સપ્ટેમ્બરથી બેંકોમાં પાંચસો રૂપિયાની નોટો જમા કરાવવાનું ફરજિયાત બનાવી દીધું છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

જો RBI એ પહેલા આવો નિયમ જારી કર્યો હોત, તો તે એક મોટો સમાચાર હોત. જોકે, સત્તાવાર મીડિયામાં આવા કોઈ સમાચાર જોવા મળતા નથી.

વધુમાં, RBIની સત્તાવાર વેબસાઇટના ‘માસ્ટર સર્ક્યુલર’ અને ‘પ્રેસ રિલીઝ’ વિભાગોમાં શોધ કરતાં, ‘500 રૂપિયાની નોટોના કિસ્સામાં’ આવો કોઈ નિયમ લાગુ થયો નથી.

મુળ પોસ્ટ : RBI

વધુમાં, વધુ શોધખોળ કર્યા પછી, જાણવા મળ્યું કે RBI એ 28 એપ્રિલના રોજ એક સૂચના બહાર પાડી હતી. આ સૂચના અનુસાર, RBI એ બધી બેંકોને ATM દ્વારા 100 અને 200 રૂપિયાની નોટો વિતરણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે, આ જગ્યાએ ક્યાંય પણ 500 રૂપિયાની નોટો બેંકોમાં બંધ કરવા અથવા જમા કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો ન હતો.

મુળ પોસ્ટ : RBI

આ દાવો કેમ વાયરલ થયો?

થોડા દિવસો પહેલા, એક દાવો વાયરલ થયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, “RBI એ બેંકોને સપ્ટેમ્બર 2025 થી ATM માંથી 500 રૂપિયાની નોટો આપવાનું બંધ કરવા કહ્યું છે.”

જોકે, વાયરલ દાવાની નોંધ લેતા, PIB એ 12 જુલાઈના રોજ ટ્વિટ કર્યું અને દાવાનું ખંડન કર્યું.

PIB એ કેપ્શનમાં સ્પષ્ટતા કરી કે, “RBI એ આવી કોઈ સૂચના જારી કરી નથી અને 500 રૂપિયાની નોટો કાયદેસરની છે.” 

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ દાવો ખોટો છે. RBI એ નાગરિકોને 1 સપ્ટેમ્બરથી બેંકોમાં 500 રૂપિયાની નોટો જમા કરાવવાનો આદેશ આપ્યો નથી. આ પોસ્ટ ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું RBIએ 1 સપ્ટેમ્બરથી બેંકોમાં 500 રૂપિયાની નોટ જમા કરાવવાનો આદેશ આપ્યો…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *