આ વીડિયો નવેમ્બર 2025નો છે, ભરૂચના નેત્રંગમાં જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચતુર વસાવાએ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું તેનો વીડિયો છે.

અરવલ્લી પર્વતો પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે સોશિયલ મીડિયા પર લોકોની ભીડ દર્શાવતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ લોકો અરવલ્લી પર્વતોને બચાવવા માટે વિરોધ કરી રહ્યા છે. તેનો વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 23 ડિસેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ લોકો અરવલ્લી પર્વતોને બચાવવા માટે વિરોધ કરી રહ્યા છે. તેનો વીડિયો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વીડિયો ‘પ્રકાશ વસાવા’ નામના ફેસબુક યુઝરે શેર કર્યો હતો. આ વીડિયો 16 નવેમ્બર 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વીડિયો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમનો છે.
https://www.facebook.com/reel/2640451079635152
જે ક્લુના આધારે વધુ સર્ચ કરતા અમને ગુજરાતના ડેડિયાપાડા મતવિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો મળ્યો. આ વીડિયો 15 નવેમ્બર 2025ના રોજ શેર કરવામાં આવ્યો હતો.
તેમજ વધુ સર્ચ કરતા અમને દિવ્યભાસ્કર દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાતે માહિતી આપવામાં આવી હતી કે, “ભરૂચ જિલ્લાના નેત્રંગમાં ક્રાંતિકારી બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી AAPના ધારાસભ્ય ચૈતર વસાવા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. સમારોહ પછી, ધારાસભ્ય વસાવાએ એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી હતી.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો નવેમ્બર 2025નો છે, ભરૂચના નેત્રંગમાં જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચતુર વસાવાએ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું તેનો વીડિયો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:ચૈતર વસાવાની રેલીના વીડિયોને અરવલ્લીના પહાડ બચાવ કાર્યક્રમ સાથે જોડવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False


