Fake News: ધીરેન્દ્ર શાસ્ત્રીનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

બાબા બાગેશ્વરના નામથી જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ રસ્તાની વચ્ચે સુતેલા જોઈ શકાય છે અને ભક્તો તેની આસપાસ બેઠેલા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ દુનિયામાંથી વિદાય લીધી અને તેમનું મૃત્યુ થયુ હતુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 30 નવેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ મહિલાઓ મફત રાશન લેવા માટે લાઈનમાં બેઠી હતી.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને એમપી તકનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “હિન્દુ રાષ્ટ્ર માટે પદયાત્રા પર નીકળેલા બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી પૂ. ધીરેન્દ્ર શાસ્ત્રીની તબિયત અચાનક બગડી ગઈ છે… જેના કારણે તેમને પદયાત્રા દરમિયાન ઘણી વખત રસ્તા પર સૂવું પડે છે… અને આ સમય દરમિયાન બાબાનું સ્વાસ્થ્ય તપાસ પણ કરવામાં આવી રહ્યું છે.

ત્યારબાદ અમે વધુ સર્ચ કરતા અમને એબીપીનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “હરિયાણાના બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નેતૃત્વમાં સનાતન એકતા પદયાત્રા બુધવારે (12 નવેમ્બર) તેના પાંચમા દિવસમાં પ્રવેશી. યાત્રા પલવલના તુમસરા ગામમાંથી શરૂ થઈ હતી. ચાલુ રાખતા, ખાટેલા સરાઈ ગામ નજીક શાસ્ત્રીની તબિયત અચાનક બગડી ગઈ. તેમને ખૂબ તાવ આવ્યો, જેના કારણે તેઓ રસ્તા પર સૂઈ ગયા. તાત્કાલિક ડૉક્ટરોને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા. તપાસમાં તેમનું તાપમાન 100 ડિગ્રીથી વધુ હોવાનું જાણવા મળ્યું. ડૉક્ટરોએ તેમને બે દિવસ આરામ કરવાની સલાહ આપી જેથી તેમનું શરીર સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકે.

Archive

તેમજ હાલમાં જ 5 ડિસેમ્બર 2025ના તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર તેમનો હવનનો એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો જેમાં તેઓ એકદમ સ્વસ્થ હોવાનું જણાઈ રહ્યુ છે. 

તેમજ હાલમાં જ તેઓએ કોલકતાના પરેડ ગ્રાઉન્ડ ખાતેથી જાહેરમાં સંબોધન કર્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં ધીરેન્દ્ર શાસ્ત્રી તેમની યાત્રા દરમિયાન ભારે તાવને કારણે બેભાન થઈ ગયા હતા. તેમના તે વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: ધીરેન્દ્ર શાસ્ત્રીનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia  

Result: False