તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક કેસરી ધ્વજ સાથેના લોકોના ટોળાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમર્થનમાં આવેલા ક્ષત્રિયોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કેસરી ધ્વજ સાથેના લોકોના ટોળાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ દિલ્હીનો નહીં પરંતુ મુંબઈ ખાતે થયેલા મરાઠા આંદોલનનો છે. આ વીડિયોને તાજેતરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 27 ફેબ્રુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હવે કિસાનો ની વારે આવ્યા ક્ષત્રિયો વંશજ... 👇👇👇. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમર્થનમાં આવેલા ક્ષત્રિયોનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને એ જાણવાની કોશિશ કરી હતી કે, શું ખેરખર ખેડૂતોના સમર્થનમાં ક્ષત્રિયો આવ્યા છે કે કેમ? તો આ અંગે અમને કોઈ જ માહિતી કે સમાચાર પ્રાપ્ત થયા ન હતા.

ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો એક યુટ્યુબ યુઝર દ્વારા 27 જાન્યુઆરી, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો મુંબઈ ખાતે થયેલા મરાઠા આંદોલનનો છે.

અમારી વધુ તપાસમાં અમને અન્ય કેટલીક જગ્યા એ પણ આજ દ્રશ્યો અને માહિતી સાથેના વીડિયો પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Facebook Post 1 | Facebook Post 2

આ પછી અમને આ પ્રદર્શન સાથે જોડાયેલા કેટલાક સમાચાર પણ મળ્યા. વાસ્તવમાં, સરકારી નોકરીઓ અને શિક્ષણમાં મરાઠા સમુદાય માટે અનામતની માંગ કરી રહેલા મનોજ જરાંગે 26 જાન્યુઆરીએ પોતાના હજારો સમર્થકો સાથે નવી મુંબઈ પહોંચ્યા હતા. ત્યાં તેમણે છત્રપતિ શિવાજી ચોકમાં ભાષણ આપ્યું અને અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ શરૂ કરવાની જાહેરાત કરી હતી.

જો કે, 27 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર સરકારે જરાંગેની તમામ માંગણીઓ સ્વીકારવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ આ વિરોધનો અંત આવ્યો હતો.

ત્યાર બાદ અમે મુંબઈ સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ ચોકનો સ્ટ્રીય વ્યૂ જોતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી ઘણી બધી જગ્યાઓ જોવા મળી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કેસરી ધ્વજ સાથેના લોકોના ટોળાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ દિલ્હીનો નહીં પરંતુ મુંબઈ ખાતે થયેલા મરાઠા આંદોલનનો છે. આ વીડિયોને તાજેતરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો ખેડૂત આંદોલનના સમર્થનમાં આવેલા ક્ષત્રિયોના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: Missing Context