શું ખરેખર અમ્ફાન વાવાઝોડા દરમિયાન થયેલી નુક્શાનીના આ દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

IamGujarat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મહા સાયક્લોન અમ્ફાનનું રૌદ્ર રૂપ, પવનના જોરની સામે સેંકડો ટન વજનના ટ્રકો પણ પલટી ગયા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 258 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 139 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમ્ફાન વાવાઝોડા દરમિયાનના સર્જાયેલી હોનારતના આ દ્રશ્યો છે.

FACEBOOK | FB VIDEO ARCHIVE | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલી આ પોસ્ટની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.  

ઉપરોક્ત પરિણામ પરથી અમને આ વિડિયો 11 ઓક્ટબર 2018નો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યુ હતુ. તેમજ આ નુકશાની તિતલી વાવાઝોડાને કારણે થઈ હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. 

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને Dailymotion.comનો વર્ષ 2018નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “તિતલી વાવાઝોડાના કારણે ભારતના હાઈ-વે પર ટ્રકો પલ્ટી મારી ગયા. આંધપ્રદેશના શ્રીકાકુલમના હાઈ-વે પર ના દ્રશ્યો હતો.

Dailymotion.com | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અલ્ફાન વાવાઝોડાને કારણે નુક્શાની થઈ હોવાનો નથી.  પરંતુ વર્ષ 2018માં આવેલા તિતલી વાવાઝોડાના કારણે થયેલા નુક્શાનનો વિડિયો છે.

Avatar

Title:શું ખરેખર અમ્ફાન વાવાઝોડા દરમિયાન થયેલી નુક્શાનીના આ દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False