શું ખરેખર પહલગામ હુમલા બાદ મોરબીમાં પાકિસ્તાન મુર્બાબાદની ટાઈલ્સ છપાવવામાં આવી…? જાણો શું છે સત્ય….

Missing Context રાષ્ટ્રીય I National સામાજિક I Social

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2019માં પુલાવા હુમલા બાદ કરવામાં આવેલા વિરોદ્ધ પ્રદર્શન દરમિયાનનો છે. હાલમાં આ પ્રકારે કોઈ વિરોધ કરવામાં આવ્યો નથી.

પહલગામ હુમલા બાદ સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાનના ધ્વજ સાથે પાકિસ્તાન મુર્બાબાદ લખેલી ટાઈલ્સ જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પહલગામ હુમલા બાદ પાકિસ્તાન મુર્બાબાદ લખેલી ટાઈલ્સ બનાવી વિરોધ નોધાવવામાં આવ્યો.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 28 એપ્રિલ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પહલગામ હુમલા બાદ પાકિસ્તાન મુર્બાબાદ લખેલી ટાઈલ્સ બનાવી વિરોધ નોધાવવામાં આવ્યો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ટીવીનાઈન ગુજરાતીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે વર્ષ 2019ના પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, પુલવામા હુમલા બાદ સિરામિક ઉદ્યોગ દ્વારા પાકિસ્તાન સામે વિરોદ્ધ દર્શાવી અને ટાઈલ્સ બનાવવામાં આવી હતી જેમાં પાકિસ્તાન મુર્દાબાદ લખેલુ હતુ.

તેમજ વધુ સર્ચ કરતા ન્યુઝ 18 દ્વારા પણ પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ આ જ ટાઈલ્સ અંગેની માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ વધુ સર્ચ કરતા અમને ગુજરાત સમાચાર દ્વારા પણ પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે પણ આ જ માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે વાંચી શકો છો. જે પણ 19 ફેબ્રુઆરી 2019ના પ્રસારિત કરવામાં આવ્યો હતો.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2019માં પુલાવા હુમલા બાદ કરવામાં આવેલા વિરોદ્ધ પ્રદર્શન દરમિયાનનો છે. હાલમાં આ પ્રકારે કોઈ વિરોધ કરવામાં આવ્યો નથી. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર પહલગામ હુમલા બાદ મોરબીમાં પાકિસ્તાન મુર્બાબાદની ટાઈલ્સ છપાવવામાં આવી…? જાણો શું છે સત્ય….

Written By: Frany Karia  

Result: Missing Context

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *