જાણો અમિત શાહના વિરોધમાં નીકળેલી દલિત સમાજની રેલીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Missing Context રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના ફોટા સાથેના ધ્વજ લઈને રસ્તા પર નીકળેલા લોકોની ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમિત શાહ દ્વારા બાબાસાહેબ આંબેડકર વિશે આપવામાં આવેલા નિવેદનના વિરોધમાં દલિત સમાજ દ્વારા નીકાળવામાં આવેલી રેલીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના ફોટા સાથેના ધ્વજ લઈને રસ્તા પર નીકળેલા લોકોની ભીડનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં કર્ણાટકના ન્યાયાધીશ મલ્લિકાર્જુન ગૌડાના વિરોધમાં નીકળેલી રેલીનો છે. આ વીડિયોને તાજેતરમાં ભાજપના નેતા અમિત શાહ દ્વારા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર વિશે આપવામાં આવેલા નિવેદન સાથે જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી અને અધૂરી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 20 ડિસેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, જોઈ લેજે તડીપાર બાબા સાહેબ આંબેકટરની રેલી…. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમિત શાહ દ્વારા બાબાસાહેબ આંબેડકર વિશે આપવામાં આવેલા નિવેદનના વિરોધમાં દલિત સમાજ દ્વારા નીકાળવામાં આવેલી રેલીનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને આજ વીડિયોમાં દેખાતા દ્રશ્યો સાથેના સમાચાર dalitawaaz.com દ્વારા 21 ફેબ્રુઆરી, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ડૉ. આંબેડકરની તસવીર હટાવનાર જજ મલ્લિકાર્જુન ગૌડા સામે બહુજન સમાજની ભીડ રસ્તા પર આવી, CMને મળવા આવવું પડ્યું.

ઉપરોક્ત આજ માહિતી અને ફોટો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. thenewsminute.com | sabrangindia.in

ઉપરોક્ત આજ વીડિયો સાથેના સમાચાર AsianetNews દ્વારા પણ 20 ફેબ્રુઆરી, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

અમારી વધુ તપાસમાં અમને AICCTU Karnataka દ્વારા પણ આજ ફોટો સાથેની ટ્વિટ 19 ફેબ્રુઆરી, 2022 ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના ફોટા સાથેના ધ્વજ લઈને રસ્તા પર નીકળેલા લોકોની ભીડનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં કર્ણાટકના ન્યાયાધીશ મલ્લિકાર્જુન ગૌડાના વિરોધમાં નીકળેલી રેલીનો છે. આ વીડિયોને તાજેતરમાં ભાજપના નેતા અમિત શાહ દ્વારા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર વિશે આપવામાં આવેલા નિવેદન સાથે જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી અને અધૂરી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો અમિત શાહના વિરોધમાં નીકળેલી દલિત સમાજની રેલીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context