
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પૂરને કારણે થયેલા ભૂસ્ખલનનો એક ભયાનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મનાલી ખાતે ભારે વરસાદને લીધે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પૂરને કારણે થયેલા ભૂસ્ખલનનો જે ભયાનક વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2023માં હિમાચલપ્રદેશના સૈંજ ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને મનાલી કે હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 9 ઓગસ્ટ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં લખવામાં આવ્યું છે કે, મનાલીમાં ભારે વરસાદે તબાહી મચાવી. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મનાલી ખાતે ભારે વરસાદને લીધે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલa આજ વીડિયો હિમાચલ ટ્રેકર્સ નામના એક યુટ્યુબ યુઝર દ્વારા 17 જુલાઈ, 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, 9 અને 10 જુલાઈ, 2023ના રોજ સૈંજ-કુલ્લુ ખાતે પૂરને લીધે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરનો નહીં પરંતુ જૂનો છે.
ઉપરોક્ત આ જ માહિતી અને વીડિયો અન્ય યુટ્યુબ યુઝર દ્વારા પણ અપલોડ કરવામાં આવ્યો હોવાની અમને માહિતી પ્રાપ્ત થઈ હતા. જે તમે અહીં જોઈ શકો છો. Youtube Post 1 | Youtube Post 2
અમારી વધુ તપાસમાં અમને ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો એક ફેસબુક યુઝર દ્વારા પણ 19 જુલાઈ, 2024ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
https://www.facebook.com/share/v/1742vEYVjE
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પૂરને કારણે થયેલા ભૂસ્ખલનનો જે ભયાનક વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2023માં હિમાચલપ્રદેશના સૈંજ ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને મનાલી કે હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title: જાણો તાજેતરમાં મનાલીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
