પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 2 રૂપિયાની એક્સાઈઝ ડ્યુટીના કરાયેલા વધારાનું જાણો શું છે સત્ય… 

Missing Context રાજકીય I Political રાષ્ટ્રીય I National

પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. પીએસયુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આ વધારો સહન કરશે, જેથી ગ્રાહકો પર કોઈ વધારાનો ખર્ચ ન થાય.

કેન્દ્ર સરકારે 7 એપ્રિલના પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં બે રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. સેન્ટ્રલ એક્સાઇઝના અંડર સેક્રેટરી ધીરજ શર્માએ પણ આ અંગે નોટિસ જારી કરી છે. આ વચ્ચે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “એક્સાઈઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તેના લીધે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થશે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 07 એપ્રિલ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ મહિલાઓ મફત રાશન લેવા માટે લાઈનમાં બેઠી હતી.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઈન્ડિયા ટુડેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જાહેરાત કરી છે કે એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હોવા છતાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. પીએસયુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આ વધારો સહન કરશે, જેથી ગ્રાહકો પર કોઈ વધારાનો ખર્ચ ન થાય. આ નિર્ણય ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થતાં આવ્યો છે, બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ $60-65 ની આસપાસ છે.” 

તેમજ આ માહિતી પેટ્રોલિય અને નેચરલ ગેસ મંત્રાલય દ્વારા ટ્વિટ કરીને પણ આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા ગુજરાત પેટ્રોલપંપ ડિલર્સ એશોસિયેશન પ્રમુખ અરવિંદ ઠક્કરનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “પેટ્રોલ–ડિઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. પેટ્રોલ-ડિઝલમાં જે એકસાઈઝ ડ્યુટી વધી છે તેનો બોજો રિટેલ ગ્રાહકો પર મુકવામાં આવ્યો નથી. આ ભાવ વધારો પેટ્રોલ વિક્રેતા કંપનીઓને આપવાનો રહેશે. હાલ જૂના ભાવ પર જ પેટ્રોલ-ડિઝલ લોકોને મળી રહેશે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. પીએસયુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આ વધારો સહન કરશે, જેથી ગ્રાહકો પર કોઈ વધારાનો ખર્ચ ન થાય.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 2 રૂપિયાની એક્સાઈઝ ડ્યુટીના કરાયેલા વધારાનું જાણો શું છે સત્ય…

Written By: Frany Karia  

Result: Missing Context

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *