
તાજેતરમાં સોશિયલ મીડિયા પર મોગલધામ કબરાઉના મહંત પરમ પૂજ્ય શ્રી સામંત બાપુનું અવસાન થયું હોવાની માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મોગલધામ કબરાઉના મહંત પરમ પૂજ્ય શ્રી સામંત બાપુનું અવસાન થયું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મોગલધામ કબરાઉના મહંત પરમ પૂજ્ય શ્રી સામંત બાપુનું અવસાન થયું હોવાના નામે જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ભ્રામક છે. હકીકતમાં તાજેતરમાં મોગલધામ ભીમરાણાના મહંત પ.પૂ.શ્રી ઘનશ્યામગિરી બાપુ બ્રહ્મલીન થયા છે જેની પુષ્ટી મોગલધામના બાપુએ વીડિયો દ્વારા કરી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ફોટોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 22 ઓગષ્ટ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કબરાવ વાળા બાપૂ નું અવસાન થયું તે વાત સાચી છે કે ખોટી કોમેન્ટ કરી દેજો ભાઈ 🙏🙏. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મોગલધામ કબરાઉના મહંત પરમ પૂજ્ય શ્રી સામંત બાપુનું અવસાન થયું.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈ જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને આજ માહિતી ખોટી હોવાની પુષ્ટી કરતો મોગલધામ કબરાઉ કચ્છના મહંત બાપુનો વીડિયો મોગલધામ કબરાઉ કચ્છ નામના એખ ફેસબુક પેજ પર 22 ઓગષ્ટ, 2024 ના રોજ પ્રાપ્ત થયો હતો. જેમાં બાપુ સહી સલામત અને જીવિત હોવાનું ખુદ કબુલ કરી રહ્યા છે.
આજ વીડિયો અન્ય કેટલાક ફેસબુક યુઝર દ્વારા પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. જે તમે અહીં જોઈ શકો છો. Facebook Post 01 | Facebook Post 02
અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી ખોટી હોવાની વધુ એક પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
વધુમાં અમને ગુજરાત તકના 20 ઓગષ્ટ, 2024 ના એક સમાચાર અહેવાલમાં જાણવા મળ્યું હતું કે, તાજેતરમાં મોગલધામ ભીમરાણાના મહંત પ.પૂ.શ્રી ઘનશ્યામગિરી બાપુ બ્રહ્મલીન થયા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મોગલધામ કબરાઉના મહંત પરમ પૂજ્ય શ્રી સામંત બાપુનું અવસાન થયું હોવાના નામે જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ભ્રામક છે. હકીકતમાં તાજેતરમાં મોગલધામ ભીમરાણાના મહંત પ.પૂ.શ્રી ઘનશ્યામગિરી બાપુ બ્રહ્મલીન થયા છે જેની પુષ્ટી મોગલધામના બાપુએ વીડિયો દ્વારા કરી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ફોટોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો તાજેતરમાં કચ્છ મોગલધામના મહંત પ.પૂ. શ્રી સામંત બાપુનું નિધન થયું હોવાના નામે વાયરલ થઈ રહેલી માહિતીનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Missing Context
