
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભગવા ધ્વજ સાથે એકઠી થયેલી ભીડનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા એકઠી કરવામાં આવેલી ભીડનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભગવા ધ્વજ સાથે એકઠી થયેલી ભીડનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2016 માં મહારાષ્ટ્રમાં થયેલા મરાઠા આંદોલનમાં પૂણે ખાતે એકઠા થયેલા લોકોનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ કે ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 27 નવેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, એક વાત ચોક્કસ છે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીએ મઠાધિપતિઓ, કથાકારો અને સેક્યુલર નેતાઓને હિંદુત્વ પર બોલવાની ફરજ પાડી છે….🚩🚩. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા એકઠી કરવામાં આવેલી ભીડનો આ ફોટો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર અમને એક થાઈ ભાષાની વેબસાઈટ campustimespune.com દ્વારા 26 સપ્ટેમ્બર, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો મહારાષ્ટ્રના પૂણે ખાતે મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા એકઠી થયેલી ભીડનો છે.
આવી જ ભીડના અન્ય ફોટો અને માહિતી સાથેના અન્ય અહેવાલ પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. indiatoday-in.translate.goog | timescontent.timesofindia.com
વધુમાં અમને ઈન્ડિયા ટીવીની યુટ્યુબ ચેનલ પર પણ આ મરાઠા આંદોલનના વીડિયો સમાચાર પ્રાપ્ત થયા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભગવા ધ્વજ સાથે એકઠી થયેલી ભીડનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2016 માં મહારાષ્ટ્રમાં થયેલા મરાઠા આંદોલનમાં પૂણે ખાતે એકઠા થયેલા લોકોનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ કે ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો ભગવા ધ્વજ સાથે એકઠી થયેલી ભીડના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: Missing Context
