
રાજસ્થાનમાં ફરવા લાયક ઘણા સ્થળો છે જેમાં પુષ્કર પ્રસિદ્ધ તીર્થ ધામ હોવાની સાથે સાથે ટુરિસ્ટ પ્લેસ પણ છે. દિવાળી પુષ્કળમાં સાત દિવસ વિશ્વ પ્રસિદ્ધ મેળાનું આયોજન થાય છે. આ વચ્ચે એક વિશાળ પાડાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજસ્થાનના પુષ્કર મેળામાં 21 કરોડની કિંમતના વિશાળ પાડાનું મોત થયુ છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 02 નવેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાજસ્થાનના પુષ્કર મેળામાં 21 કરોડની કિંમતના વિશાળ પાડાનું મોત થયુ છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને રાજસ્થાન એનડીટીવીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “પુષ્કર પશુ મેળામાં ₹21 કરોડની કિંમતની ભેંસના મૃત્યુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, પરંતુ પશુપાલન વિભાગે આ વીડિયોને સંપૂર્ણપણે ભ્રામક અને ખોટો ગણાવ્યો છે. વિભાગ દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે મેળામાં કોઈ પ્રાણીનું મૃત્યુ થયું નથી. પ્રવેશ પહેલાં આરોગ્ય તપાસ કર્યા પછી જ બધા પ્રાણીઓને મેળામાં પ્રવેશ આપવામાં આવે છે, અને હાલમાં મેળામાં હાજર બધા પ્રાણીઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.”

તેમજ વધુ સર્ચ કરતા અમને પશુપાલન વિભાગ દ્વારા આપવામાં આવેલુ સ્પષ્ટીકરણ પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ”મેળાના અધિકારી ડૉ. સુમિત ઢીંગરાએ જણાવ્યું હતું કે પુષ્કર પશુ મેળામાં ત્રણ મુખ્ય પશુચિકિત્સા હોસ્પિટલો, એક બ્લોક પશુચિકિત્સા આરોગ્ય કાર્યાલય અને એક મોબાઇલ યુનિટ દ્વારા 24 કલાક તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. કોઈપણ બીમારી કે બેદરકારી અટકાવવા માટે વિભાગની ટીમો નિયમિતપણે પ્રાણીઓની તપાસ કરી રહી છે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે વાયરલ વીડિયોનો પુષ્કર પશુ મેળા સાથે કોઈ સંબંધ નથી.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. પુષ્કર મેળામાં કોઈપણ પશુનું મોત થયુ નથી. પુષ્કર પશુ મેળાના અધિકારી ડો.સુનીલ ધીયા દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:શું ખરેખર પુષ્કર મેળામાં 21 કરોડની કિંમતના પાડાનું મોત થયુ…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False


