
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિમાન દુર્ઘટનાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં નેપાળ ખાતે થયેલ વિમાન દુર્ઘટનાનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વિમાન દુર્ઘટનાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરના નહીં પરંતુ વર્ષ 2012 માં નેપાળના કાઠમંડુ ખાતે થયેલ વિમાન દુર્ઘટનાનો છે જેમાં 19 લોકોના મોત થયા હતા. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 24 જુલાઈ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, નેપાળના કાઠમંડૂમાં પ્લેન ક્રેશ, 5 લોકોના મોત. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં નેપાળ ખાતે થયેલ વિમાન દુર્ઘટનાનો આ ફોટો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર mirror.co.uk દ્વારા 28 સપ્ટેમ્બર, 2012 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, નેપાળ ખાતે થયેલ વિમાન દુર્ઘટનામાં 7 બ્રિટિશ નાગરિકો લહિત કુલ 19 લોકોના મોત.
અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. arabnews.com | usatoday.com | nationalpost.com
જોકે, તાજેતરમાં ફરી એકવાર નેપાળ ખાતે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પણ 18 લોકોના મોત થયા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વિમાન દુર્ઘટનાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરના નહીં પરંતુ વર્ષ 2012 માં નેપાળના કાઠમંડુ ખાતે થયેલ વિમાન દુર્ઘટનાનો છે જેમાં 19 લોકોના મોત થયા હતા. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો તાજેતરમાં નેપાળ ખાતે થયેલ વિમાન દુર્ઘટનાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
