
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સળગતી ચિતા પર અગ્નિસ્નાન કરી રહેલા સાધુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કુંભ મેળા પહેલાં અગ્નિસ્નાન કરી રહેલા સાધુનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સળગતી ચિતા પર અગ્નિસ્નાન કરી રહેલા સાધુનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2007 માં ધ ફાયર યોગી નામની એક ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી હતી તેનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે?
એક ફેસબુક યુઝર દ્વારા 14 જાન્યુઆરી, 2025 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કુંભ સ્નાન કરતા પહેલા સિદ્ધ સંતો આ પ્રકારે અગ્નિ સ્નાન કરતા હશે ?. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કુંભ મેળા પહેલાં અગ્નિસ્નાન કરી રહેલા સાધુનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો આજતકની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર 18 નવેમ્બર, 2009 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આજતકે આ વાર્તાને ચાર ભાગમાં સંભળાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાયરલ વીડિયો કર્ણાટકના ગુલબર્ગાના દત્તાત્રેય મંદિરનો છે. જ્યાં ‘રામભાઉ સ્વામી’એ અગ્નિ પર સૂઈને તપસ્યા કરી હતી. પરંતુ આ તપસ્યામાં તેને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.
અમારી વધુ તપાસનમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. newindianexpress.com | indiatoday.in
વધુમાં અમને આજ વાયરલ વીડિયો 23 માર્ચ, 2011 ના રોજ એક યુટ્યુબ યુઝર દ્વારા અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે વાયરલ વીડિયોનું લાંબું વર્ઝન છે. વીડિયોના વર્ણનમાં ‘ધ ફાયર યોગી’ નામની ડોક્યુમેન્ટ્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ડોક્યુમેન્ટરી આ યોગી વિશે છે જે અનોખી શ્વાસ લેવાની તકનીકનો ઉપયોગ કરીને આગ સાથે રમે છે.
અમારી વધુ તપાસમાં અમને એમેઝોનની વેબસાઇટ પર ‘ધ ફાયર યોગી’ ડોક્યુમેન્ટરીની ડીવીડી મળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ડોક્યુમેન્ટરી 16 ઓક્ટોબર, 2007ના રોજ અપલોડ કરવામાં આવી હતી.
આ સંપૂર્ણ ડોક્યુમેન્ટરી એક યુટ્યુબ યુઝર દ્વારા 2 નવેમ્બર, 2011 ના રોજ અપલોડ કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સળગતી ચિતા પર અગ્નિસ્નાન કરી રહેલા સાધુનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2007 માં ધ ફાયર યોગી નામની એક ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી હતી તેનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો સળગતી ચિતા પર અગ્નિસ્નાન કરી રહેલા સાધુના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Missing Context
