જાણો 3000 વર્ષ જૂની અનંત પદ્મનાભ સ્વામીની મૂર્તિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પદ્મનાભ સ્વામીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયોમાં દેખાતી અનંત પદ્મનાભ સ્વામીની મૂર્તિ 3000 વર્ષ જૂની છે જે 7800 કિલો શુદ્ધ સોનું, 7,80,000 હીરા અને 780 કેરેટ હીરાથી બનેલી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી પદ્મનાભ સ્વામીની મૂર્તિ હૈદરાબાદના શિવનારાયણ જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવી છે. તે પ્રાચીન મૂર્તિ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી અને અધૂરી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 29 ડિસેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે,
“7800 કિલો શુદ્ધ સોનું, 7,80,000 હીરા અને 780 કેરેટ હીરાથી બનેલી 3000 વર્ષ જૂની અનંત પદ્મનાભસ્વામીની પ્રતિમા 3000 વર્ષથી વધુ જૂની હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે તેની વર્તમાન કિંમત હજારો લાખ કરોડ રૂપિયા છે અને સાધનપતિઓ અને આધુનિક નિષ્ણાતોએ કહ્યું કે તેની કિંમતનો અંદાજ લગાવી શકાયો નથી. તે જાણીતું છે કે ફ્રાન્સથી આમંત્રિત નિષ્ણાતોની ટીમ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને અગણિત રકમ સાથે પરત આવી હતી. આપણી પોતાની આંખોથી આ જોવાનો મોટો લહાવો રહ્યો હશે. જેઓ રૂબરૂ જઈ શકતા નથી તેઓ આ વિડીયો દ્વારા જોઈ શકે છે અને લાભ મેળવી શકે છે. જ્યારે આપણે નંદલ સ્વામી, ભગવાનને જોઈ શકતા નથી, ત્યારે આપણે તેમની ચિત્ર અથવા મૂર્તિથી પૂજા કરીએ છીએ તે કેવી રીતે?”. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયોમાં દેખાતી અનંત પદ્મનાભ સ્વામીની મૂર્તિ 3000 વર્ષ જૂની છે જે 7800 કિલો શુદ્ધ સોનું, 7,80,000 હીરા અને 780 કેરેટ હીરાથી બનેલી છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને આજ વીડિયો એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 6 ઓગષ્ટ, 2023 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે,  “શ્રી અનંત પદ્મનાભસ્વામી જ્વેલની ઊંચાઈ 8 ઈંચ અને લંબાઈ 18 ઈંચ છે. 2 મહિના સુધી દરરોજ 16 કલાક કામ કરતા 32 લોકો દ્વારા હસ્તકલા, આ પેરાગોન પીસનું વજન આશ્ચર્યજનક 2.8 કિલો છે.”

“લગભગ 75,000 ઉચ્ચ-ગુણવત્તાના હીરાથી શણગારેલા,જે કુલ 500 કેરેટના છે. અનંત પદ્મનાભસ્વામી જોવાલાયક છે. દરેક હીરાને સમજી-વિચારીને, નિપુણતાથી પોલિશ્ડ, કુશળતાપૂર્વક સેટ કરવામાં આવ્યો છે. તે શ્રેષ્ઠ ઝામ્બિયન નીલમણિ અને કુદરતી બર્મીઝ માણેક ધરાવે છે જે અદભૂત, મોહક દેખાવને કાયમી દૈવી લાવણ્ય બનાવે છે. આ ગ્રાઉન્ડબ્રેકિંગ સર્જન – શ્રી અનંતા પદ્મનાભસ્વામી – 9 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ ટાઇટલ લઈને નવો વિશ્વ વિક્રમ હાંસલ કરવા માટે તૈયાર છે.”

અમારી વધુ તપાસમાં અમને 5 ઓગષ્ટ, 2023 ના રોજ retailjewellerindia.com દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, હૈદરાબાદની શિવ નારાયણ જ્વેલર્સે કેરળ ભીમા જ્વેલરીના ચેરમેન બી ગોવિંદનના માનમાં આ પ્રતિમા બનાવી છે.

Archive

અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી સાથેનો વધુ એક અહેવાલ business-standard.com દ્વારા 5 ઓગષ્ટ, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

Archive

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો શિવનારાયણ જ્વેલર્સના ઈન્સ્ટાગ્રામ પેજ પર પણ 4 ઓગષ્ટ, 2023 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની કોઈ જ માહિતી આપવામાં આવી ન હતી. 

https://www.instagram.com/reel/CvhIAbZIhag/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

વધુમાં અમને શિવ નારાયણ જ્વેલર્સના મેનેજિંગ ડિરેક્ટર તુષાર અગ્રવાલ દ્વારા આપવામાં આવેલુંએક ઇન્ટરવ્યુ પ્રાપ્ત થયું હતું. જેમાં પણ કહેવામાં આવ્યું છે કે, આ મૂર્તિનું અનાવરણ IIJS 2023માં કરવામાં આવ્યું હતું. 

વાયરલ મૂર્તિ અંગેના અન્ય અહેવાલ પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં, અહીં જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી પદ્મનાભ સ્વામીની મૂર્તિ હૈદરાબાદના શિવનારાયણ જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવી છે. તે પ્રાચીન મૂર્તિ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી અને અધૂરી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title: જાણો 3000 વર્ષ જૂની અનંત પદ્મનાભ સ્વામીની મૂર્તિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False