Fake News: હેલિકોપ્ટર દ્વારા રેસક્યુ ઓપરેશન જૂનાગઢના માણાવદરમાં નથી કરવામાં આવ્યુ… જાણો શું છે સત્ય….
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામનો વીડિયો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનો હોવાની વાત તદ્દન ખોટી છે.
દ્વારકા સહિત સૌરાષ્ટ્રના તમામ શહેરોમાં ભારે થી અતિભારે વરસાદ નોંધાયો છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હેલિકોપ્ટરથી પાણીમાં ફસાયેલા લોકોનું રેસક્યુ કરવામાં આવ્યુ હતુ. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જૂનાગઢના માણાવદર તાલુકમાં પાણીમાં ફસાયેલા લોકોનું રેસક્યુ કરવામાં આવ્યુ તેનો વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 22 જૂલાઈ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જૂનાગઢના માણાવદર તાલુકમાં પાણીમાં ફસાયેલા લોકોનું રેસક્યુ કરવામાં આવ્યુ તેનો વીડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને IANS દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલો વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “દેવભૂમિ દ્વારકાના પાનેલી ગામમાં વરસાદમાં ફસાયેલા લોકોને એરફોર્સે બચાવ્યા.”
તેમજ વધુ સર્ચ કરતા અમને દૈનિક જાગરણનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિત આપવામાં આવી હતી કે, “કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામની નદીમાં ભારે પૂર આવતા 3 લોકો ફસાયા હતા. આ અંગેની માહિતી મળતાં જિલ્લા કલેક્ટર જી.ટી.પંડયાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર તેમજ ફાયર વિભાગ દ્વારા એરફોર્સની મદદ લઈ દિલધડક રેસક્યુ કરવમાં આવ્યું હતુ. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં કેશવપુરા ગામે 4 લોકો, ટંકારિયા ગામે 4 લોકોને વહિવટી તંત્ર અને NDRFની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે.”
ન્યુઝ 18 ગુજરાતી, ટીવીનાઈન ગુજરાતી, તેમજ વીટીવી ન્યુઝ દ્વારા પણ આ અંગે માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામનો વીડિયો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનો હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:Fake News: હેલિકોપ્ટર દ્વારા રેસક્યુ ઓપરેશન જૂનાગઢના માણાવદરમાં નથી કરવામાં આવ્યુ... જાણો શું છે સત્ય....
Fact Check By: Frany KariaResult: False