રાષ્ટ્રપતિ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ આપવામાં નથી આવ્યો. સમાચાર એજન્સી દ્વારા પ્રસારિત અહેવાલના ભ્રામક શિર્ષકને કારણે આ ખોટી માહિતી ફેલાઈ રહી છે.

હાલમાં એક ન્યુઝ પેપરનું ક્ટિગ વાયરલ થઈ રહ્યુ છે. જે હેડલાઈન તરીકે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા આદેશ અંગેની વાત છે. આ ન્યુઝ પેપરને શેર કરીને સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાષ્ટ્રપતિ દ્વારા દેશની તમામ શાળાઓમાં રામાયણ અને ભાગવત ફરજિયાત ભણાવવા આદેશ કરવામાં આવ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Keshubhai Mahaliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 માર્ચ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાષ્ટ્રપતિ દ્વારા દેશની તમામ શાળાઓમાં રામાયણ અને ભાગવત ફરજિયાત ભણાવવા આદેશ કરવામાં આવ્યો છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને કોઈ ખાસ પરિણામો પ્રાપ્ત થયા ન હતા.

ત્યારબાદ અમે રાષ્ટ્રપતિની ઓફિશિયલ વેબસાઈટ પર આ અંગે તપાસ શરૂ કરી હતી. પરંતુ અમને આ અંગે કોઈ ખાસ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેમજ અમે તમામ પ્રેસ રિલિઝ પણ ચેક કરી હતી પરંતુ અમને આ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

ત્યારબાદ અમે ભારત સરકારની શિક્ષણ મંત્રાલયની વેબસાઇટ પર વાયરલ દાવા અંગે તપાસ કરી. દરમિયાન અમને વેબસાઇટ પર સ્કૂલ એજ્યુકેશન ઇન રિફોર્મ્સ નામનો દસ્તાવેજ મળ્યો હતો. જ્યાં શાળાની શિક્ષણ પ્રણાલી, નીતિઓ અને મોડેલોમાં થયેલ તમામ પરિવર્તન વિશે માહિતી આપવામાં આવી હતી. પરંતુ અહીં આવી કોઈ માહિતી આપવામાં આવી ન હતી. જ્યાં એમ કહેવામાં આવ્યુ હોય કે શ્રી મદ ભગવદ ગીતા અને રામાયણનો તમામ અભ્યાસક્રમોમાં સમાવેશ કરવો જોઇએ.

reform_education_2014-20

Archive

કેસ વિશેની સચોટ માહિતી માટે અમે સ્ક્રીનશોટ પર પ્રકાશિત થયેલા સમાચારને ધ્યાનથી વાંચતાઅમને જાણવા મળ્યું છે કે, સામાજિક કાર્યકર્તા ભગવાનંદિન સાહુએ મધ્ય પ્રદેશના છીંદવાડા જિલ્લાના કલેક્ટરને રાષ્ટ્રપતિને સંબોધી એક પત્ર રજૂ કર્યો હતો. જેમાં ભગવાનદિન સાહુએ રાષ્ટ્રપતિને દેશના તમામ શાળાના અભ્યાસક્રમોમાં ભગવદ ગીતા અને રામાયણને ફરજિયાત સમાવવા વિનંતી કરી છે. જે તમે નીચે વાંચી શકો છો.

પ્રાપ્ત માહિતીના આધારે, અમે ગૂગલ પર કીવર્ડ સાથે શોધ શરૂ કરી હતી. દરમિયાન અમને 15 સપ્ટેમ્બર 2020ના ગુરૂઆસ્થાડિજિટલન્યુઝ નામની વેબસાઇટ પર એક આર્ટિકલ પ્રાપ્ત થયો હતો. જેમા વાયરલ સ્ક્રીનશોટ સાથેના સમાચારો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, 15 જુલાઇના રોજ છિંદવાડા જિલ્લાના સામાજિક કાર્યકર ભગવાનદિન સાહુ અને તેમની સાથેની અન્ય સામાજિક અને ધાર્મિક સંસ્થાઓએ જિલ્લા કલેકટરના માધ્યમથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર રજૂ કરી અને ભગવદ ગીતા અને રામાયણને દેશના તમામ શાળાના અભ્યાસક્રમોમાં સમાવિષ્ટ કરવાની માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે, આ અહેવાલનું શીર્ષક ભ્રમ પેદા કરે છે.

ગુરૂઆસ્થાન્યુઝ | સંગ્રહ

તેમજ આ આવેદન આપનાર છિંદવાળાના સામાજીક કાર્યકર ભગવાનદ્દિન સાહુનો સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ હેડલાઇન ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. અમારા દ્વારા શ્રી મદ્દ ભગવત ગીતા અને રામાયણને અભ્યાસક્રમમાં સામેલ કરવા માત્ર આવેદન આપવામાં આવ્યુ હતુ.” તેમજ તેમણે અમને તે સમયના ન્યુઝપેપરના ક્ટિંગ પણ અમારી સાથે શેર કરી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રાષ્ટ્રપતિ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ આપવામાં નથી આવ્યો. સમાચાર એજન્સી દ્વારા પ્રસારિત અહેવાલના ભ્રામક શિર્ષકને કારણે આ ખોટી માહિતી ફેલાઈ રહી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:રાષ્ટ્રપતિ દ્વારા રામાયણ અને ભાગવત ભણાવવા અંગે કોઈ આદેશ આપ્યો નથી. જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: Missing Context