શું ખરેખર રાજકોટમાં સાધુના વેશમાં બાળકોને ઉઠાવતી ટોળકી પકડાય…? જાણો શું છે સત્ય….
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં જે સાધુઓને મારમારવામાં આવી રહ્યા હતા તે બાળક ચોર ગેંગ ન હતી, જેની પૃષ્ટી માલવીયાનગર પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ત્રણ સાધુને લોકો ઘેરી અને લાકડી વડે મારમારી રહ્યા છે. અને સાધુઓ માફી માંગતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજકોટમાં બાળકોને ચોકલેટ આપી કિડનેપ કરતી સાધુની ટોળકી ઝડપાઈ.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 11 જૂલાઈ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાજકોટમાં બાળકોને ચોકલેટ આપી કિડનેપ કરતી સાધુની ટોળકી ઝડપાઈ.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
તેમજ વધુ સર્ચ કરતા અમને ઈન્સ્ટાગ્રામ પર આ ઘટનાનો બીજો વીડિયો પણ પ્રાપ્ત થયો હતો, જેમાં પોલીસ દ્વારા આ સાધુઓને પોલીસ જીપમાં બેસાડીને લઈ જઈ રહી છે. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ એક યુટ્યુબર દ્વારા આ વીડિયોને શેર કરીને માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયોમાં જોવા મળતા સાધુઓ કોઈ બાળકનુ અપહરણ કરવા ન હતા આવ્યા, પરંતુ તેઓ પહેલેથી જ ભીખ માંગી રહ્યા છે. પોલીસે બાદમાં પુછપરછ કરી તેમને છોડી મુક્યા હતા.
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત બનાવવા અમે માલવીયા નગર પોલીસ સ્ટેશનના પીઆઈનો સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “લોકોની ભીડ ભેગી થઈ હતી અને સાધુઓને પકડયા હતા જેની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા આ સાધુઓને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા હતા ત્યારબાદ તેમની પુછપરછ કરવામાં આવી હતી જેમાં તેઓનો કોઈ ભૂતકાળ જણાયો ન હતો અને તેમની પુછપરછ બાદ તેમને છોડી મુકવામાં આવ્યા હતા.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં જે સાધુઓને મારમારવામાં આવી રહ્યા હતા તે બાળક ચોર ગેંગ ન હતી, જેની પૃષ્ટી માલવીયાનગર પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:શું ખરેખર રાજકોટમાં સાધુના વેશમાં બાળકોને ઉઠાવતી ટોળકી પકડાય...? જાણો શું છે સત્ય....
Fact Check By: Frany KariaResult: False