તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભગવાન શ્રીકૃષ્ણને બિરયાનીનો ભોગ ધરાવી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભગવાન શ્રીકૃષ્ણને આ મહિલા નોનવેજ બિરયાનીનો ભોગ ધરાવી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભગવાન શ્રીકૃષ્ણને બિરયાનીનો ભોગ ધરાવી રહેલી મહિલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ બિરયાની નોનવેજ નહીં પરંતુ આલુ ચીઝ વેજ બિરયાની હતી જેની સ્પષ્ટતા ભોગ ધરાવતી મહિલા દ્વારા જ કરવામાં આવી હતી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 5 જુલાઈ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આવા વિડિયો બનાવવા પર તત્કાળ પ્રતિબંધ મૂકી યોગ્ય પગલાં લેવામાં આવે એવી સરકારને માંગ કરૂ છું.🙏👇. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભગવાન શ્રીકૃષ્ણને આ મહિલા નોનવેજ બિરયાનીનો ભોગ ધરાવી રહી છે.

https://archive.org/details/video-convert-1720700017168

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ તેનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો એક સત્તાવાર ટ્વિટર યુઝર દ્વારા 30 જૂન, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો જેમાં પણ શ્રીકૃષ્ણ ભગવાનને માંસાહારનો ભોગ ધરાવવામાં આવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ તેની નીચે કરવામાં આવેલી એક કોમેન્ટમાં અમને એવું લખેલું જોવા મળ્યું કે, ભાઈ સાહેબ થોડું ધ્યાનથી જોવો અને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરો આ આલુ અને પનીર છે.

download.png

Tweet

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો શંપા ચક્રવર્તી નામની એક મહિલા યુટ્યુબ યુઝર દ્વારા 22 નવેમ્બર, 2023 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

અમારી વધુ તપાસમાં અમને આજ ચેનલ પર વાયરલ વીડિયોથી મળતા અન્ય કેટલાક વીડિયો પ્રાપ્ત થયા હતા. જેમાં તમે શ્રીકૃષ્ણ ભગવાનને ધરાવવામાં આવેલો ભોગ સ્પષ્ટ રીતે જોઈ શકો છો. જેમાં તમને આલુ, ચીઝ અને બિરયાની સ્પષ્ટ દેખાય છે. આમાં ક્યાંય પણ નોનવેજ હોવાનું દેખાઈ રહ્યું નથી. Video 1 | Video 2 | Video 3

screenshot-www.youtube.com-2024.07.12-18_28_21.png

screenshot-www.youtube.com-2024.07.12-18_30_04.png

વધુમાં અમને 'શમ્પા ચક્રવર્તી' નામની આ YouTube ચેનલ દ્વારા 25 ડિસેમ્બર, 2023ના રોજ જારી કરાયેલી સ્પષ્ટતા પણ મળી હતી. જેમાં એક મહિલા જણાવે છે કે, તેનું નામ મૌલી ચક્રવર્તી છે અને વાયરલ થઈ રહેલા વીડિયોમાં તેણે જ ભગવાન કૃષ્ણને બિરયાનીનો ભોગ ધરાવ્યો હતો. તેણી એ પણ કહે છે કે, તે બટેટા અને ચીઝ સાથે શાકાહારી બિરયાની હતી. મૌલી જણાવે છે કે, તેમના ઘરમાં લાડુ ગોપાલ અને રાધારાણીની ઘણી મૂર્તિઓ છે અને તે તેમની સેવા કરવાનો પૂરો પ્રયાસ કરે છે. તે કહે છે, “મેં પોતે છેલ્લા બે વર્ષથી નોન-વેજ ખાધું નથી. નોન-વેજ એટલે માછલી, માંસ, ઈંડા - તમે આ બધું છોડી દો, હું કાંદા, લસણ, લાલ દાળ (દાળ) નથી ખાતી, હું તેને સ્પર્શ પણ નથી કરતી.”

આજ ચેનલ પર ભગવાનને ભોગ લગાવતા અન્ય વીડિયો પણ અમને પ્રાપ્ત થયા હતા. જેમાં ક્યાંય પણ નોનવેજનો ભોગ ધરાવવામાં આવ્યો હોય એવું જોવા મળતું નથી. જે વીડિયો તમે અહીં જોઈ શકો છો. Video 1 | Video 2

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભગવાન શ્રીકૃષ્ણને બિરયાનીનો ભોગ ધરાવી રહેલી મહિલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ બિરયાની નોનવેજ નહીં પરંતુ આલુ ચીઝ વેજ બિરયાની હતી જેની સ્પષ્ટતા ભોગ ધરાવતી મહિલા દ્વારા જ કરવામાં આવી હતી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો શ્રીકૃષ્ણ ભગવાનને બિરયાનીનો ભોગ ધરાવી રહેલી મહિલાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: Missing Context