Jignesh Savaj Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ઝી ન્યુઝના સ્ક્રિન શોટ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “15 જૂન બાદ ફરી સંપૂર્ણ લોકડાઉન થઈ શકે છે. તેવા સંકેત ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા.”

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલો સ્ક્રિન શોટ ગુજરાતમાં ખૂબ જ ફેલાવવામાં આવી રહ્યો હતો જેને કારણે લોકોમાં એક ડર ફેલાયો હતો તેથી પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને VTV ન્યુઝનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, 15 જૂન બાદ લોકડાઉન લાગુ કરવામાં આવશે તે અફવા પર ગુજરાતના નાયબ પ્રધાન નિતિન પટેલએ સ્પષ્ટતા કરી હતી અને આ વાતને અફવા ગણાવી હતી. વીટીવીનો આ અહેવાલ તમે નીચે વાંચી શકો છો.

VTV NEWS | ARCHIVE

ઉતરાખંડમાં પણ આ જ સ્ક્રિન શોટ ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. જેને કારણે ઉત્તરાખંડ પોલીસ દ્વારા આ જ સ્ક્રિન શોટ તેમના ઓફિસિયલ ફેસબુક એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો તેમજ સાથે જણાવવામાં આવ્યુ હતુ કે, આ તદ્દન ખોટા સમાચાર છે અને પાયા વિહોણા છે. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

તેમજ PIB FACT CHECK દ્વારા પણ આ સમાચાર ખોટા હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, 15 જૂન બાદ લોકડાઉન વધવાની વાત એ માત્ર અફવા જ છે. જેની પૃષ્ટી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા કરવામાં આવી હતી. તેમજ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો સ્ક્રિન શોટએ ફોટોશોપ જ હોવાનું સાબિત થાય છે.

Avatar

Title:શું ખરેખર 15 જૂન બાદ ફરી સંપૂર્ણ લોકડાઉન લગાડવામાં આવશે....? જાણો શું છે સત્ય...

Fact Check By: Yogesh Karia

Result: False