
હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, ખાખી ડ્રેસમાં રહેલા અધિકારીઓ એક વ્યક્તિને ઢોર માર મારી રહ્યા છે. જ્યારે અન્ય વ્યક્તિ દુકાન માંથી આ વિડિયો ઉતારી રહ્યો છે. આ વિડિયોને હાલમાં સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ કરવામાં આવી રહ્યો છે.
તેમજ આ વિડિયોની પૃષ્ઠભૂમિમાં ભાજપાના નવા અભિયાન જન આશીર્વાદ યાત્રા સાથે જોડવામાં આવી રહ્યો છે. ફેક્ટ ક્રેસન્ડોની હેલ્પલાઈન નંબર પર પણ યુઝર દ્વારા આ વિડિયો અંગેની સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી.
આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપાની જન આશીર્વાદ યાત્રા દરમિયાન ભાજપા દ્વારા માર મારવામાં આવ્યો તેના દ્રશ્યો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલની ભાજપાની જન આશીર્વાદ યાત્રા દરમિયાનનો નથી. આ વિડિયોને જન આશીર્વાદ યાત્રા સાથે કોઈ લેવા-દેવા નથી. ગત વર્ષના લોકડાઉન દરમિયાનનો મધ્યપ્રદેશ છિંદવાળાનો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Harshd Bhaliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 ઓગસ્ટ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભાજપાની જન આશીર્વાદ યાત્રા દરમિયાન ભાજપા દ્વારા માર મારવામાં આવ્યો તેના દ્રશ્યો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયોનો સ્ક્રિન શોટ ઈન્ડિયા ટુડેની વેબસાઈટ પર પ્રાપ્ત થયો હતો. 25 મે 2020ના પ્રકાશિત આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “વિવાદમાં રહેલી આ ઘટના મધ્યપ્રદેશના છિંદવાડાના જિલ્લાના પીપલા નારાયણવર ગામની છે.”
ત્યારબાદ અમને હિન્દુસ્તાન ટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “વિડિયો વાયરલ થયા બાદ છિંદવાડાના બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.” આ અહેવાલ તમે નીચે વાંચી શકો છો.
તેમજ દૈનિક ભાસ્કર, ધ લ્લનટોપ, ટીવીનાઈન ભારતવર્ષદ્વારા આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલની ભાજપાની જન આશીર્વાદ યાત્રા દરમિયાનનો નથી. આ વિડિયોને જન આશીર્વાદ યાત્રા સાથે કોઈ લેવા-દેવા નથી. ગત વર્ષના લોકડાઉન દરમિયાનનો મધ્યપ્રદેશ છિંદવાળાનો છે.

Title:લાકડીથી યુવકને માર મારી રહેલા વિડિયોની શું છે સત્યતા….?
Fact Check By: Yogesh KariaResult: Missing Context
