તાજેતરમાં સોશિયલ મીડિયા પર દુબઈ ખાતે બુર્જ ખલીફા પર શ્રી રામના નામે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે દુબઈ ખાતે બુર્જ ખલીફા પર શ્રી રામના ફોટો સાથેની રોશની કરવામાં આવી તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દુબઈ ખાતે બુર્જ ખલીફા પર શ્રી રામના ફોટો સાથેનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. આ ફોટોને અયોધ્યા ખાતેની શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 23 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, શ્રીરામ. ..બુર્જ ખલીફા...🙏💪👍🙋. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે દુબઈ ખાતે બુર્જ ખલીફા પર શ્રી રામના ફોટો સાથેની રોશની કરવામાં આવી તેનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે બુર્જ ખલીફાના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર સર્ચ કરતાં અમને ક્યાંય પણ આ પ્રકારે કોઈ ફોટો કે પોસ્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. અમને ફેસબુક પર છેલ્લી પોસ્ટ 1 ઓક્ટોમ્બર, 2023 ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં ચીનના 74 માં રાષ્ટ્રીય દિવસની પોસ્ટમાં બુર્જ ખલીફા પર ચીનનો ધ્વજ પ્રકાશિત કરવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવી હતી.

અમારી વધુ તપાસમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને બુર્જ ખલીફાનો એ જ ફોટો મળ્યો જે 28 ડિસેમ્બર, 2015ના રોજ એક વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ તસવીર બુર્જ ખલીફાની રાતની તસવીર છે. અમને બીજી વેબસાઇટ પર પ્રકાશિત થયેલ આજ ફોટો મળ્યો હતો.

નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા એડિટેડ ફોટો અને ઓરિજીનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દુબઈ ખાતે બુર્જ ખલીફા પર શ્રી રામના ફોટો સાથેનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. આ ફોટોને અયોધ્યા ખાતેની શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યા છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો દુબઈ ખાતે બુર્જ ખલીફા પર શ્રી રામના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: Altered