
હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટ્રેનને સંબંધિત માહિતી આપવામાં આવી હતી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હઝરત નિઝામુદિન ટ્રેનનું નામ બદલી મહારાણા પ્રતાપ એક્સપ્રેસ રાખવામાં આવ્યુ.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ભારત સરકાર દ્વારા આ પ્રકારે કોઈ નામમાં બદલાવ કરવામાં નથી આવ્યું, લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સિનીયર ત્રિકમ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 નવેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હઝરત નિઝામુદિન ટ્રેનનું નામ બદલી મહારાણા પ્રતાપ એક્સપ્રેસ રાખવામાં આવ્યુ.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને બેસ્ટહિન્દીન્યુઝનો તારીખ 19 સપ્ટેમ્બર 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હત. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “હઝરત નિઝામુદ્દિન એક્સપ્રેસ ટ્રેનનું નામ બદલી અને દર્શન એક્સપ્રેસ રાખવામાં આવ્યુ.”

જો કે, આ અંગે કોઈ વિશેષ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગુજરાત રેલવે પીઆરઓ પ્રદિપ શર્માનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ ટ્રેનના નામના બદલવામાં આવ્યુ નથી. આ પ્રકારે કોઈ નામ બદલવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે.”
તેમજ પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા પણ જણાવવામાં આવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યુ નથી. સરકાર દ્વારા આ પ્રકારે કોઈ નામ બદલવામાં નથી આવ્યુ.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ભારત સરકાર દ્વારા આ પ્રકારે કોઈ નામમાં બદલાવ કરવામાં નથી આવ્યું, લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર હઝરત નિઝામુદ્દિન ટ્રેનનું નામ મહારાણા પ્રતાપ એક્સપ્રેસ રાખવામાં આવ્યુ…?
Fact Check By: Yogesh KariaResult: False
