તાજેતરમાં સોશિયલ મીડિયા પર દેશમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિના ઘણા બધા વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વાદળ ફાટવાને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં વાદળ ફાટવાને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો અને ભારતનો નહીં પરંતુ ઈન્ડોનેશિયા ખાતે 7 વર્ષ પહેલાં બનેલી ઘટનાનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bhare_kari નામના ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 17 જુલાઈ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, વાદળ કેવી રીતે ફાટે છે જોવો. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વાદળ ફાટવાને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે.

Instagram Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આઝ વીડિયો સાથેના સમાચાર iNewsTV દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 23 જૂન, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેની સાથે શીર્ષકમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો દક્ષિણ સુલાવેસીના સાંગીહે ખાતે અચાનક આવેલી પૂરનો છે.

અમારી વધુ તપાસમાં અમને liputan6-com દ્વારા 23 જૂન, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા ઈન્ડોનેશિયાનો એક સમાચાર અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં વાયરલ વીડિયોના સ્ક્રીનશોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઉત્તર સુલાવેસીના સાંગીહેમાં તાહુના જિલ્લાના ભૂસ્ખલન અને પૂર દરમિયાન એક વીડિયોગ્રાફર દ્વારા આ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ભૂસ્ખલન અને પૂરના પાણીના કારણે પહાડી વિસ્તાર ધસી પડવાને કારણે રહેવાસીઓ પોતાને બચાવવા માટે દોડી રહ્યા છે. તાહુના જિલ્લો આ પૂર અને ભૂસ્ખલન આપત્તિથી પ્રભાવિત આઠ પેટા જિલ્લાઓમાંનો એક છે.

આ ઘટના 22 જૂન, 2016 ના રોજ સાંજે બની હતી. જેમાં સેંકડો રહેવાસીઓના મકાનોને નુકસાન થયું હતું. ભૂસ્ખલનમાં પાંચ લોકો દટાયા હોવાનું માનવામાં આવે છે. જેમાંથી એક મૃત હાલતમાં મળી આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વાદળ ફાટવાને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો અને ભારતનો નહીં પરંતુ ઈન્ડોનેશિયા ખાતે 7 વર્ષ પહેલાં બનેલી ઘટનાનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો વાદળ ફાટવાને કારણે ભાગી રહેલા લોકોના વાયરલ વીડિયોનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: Missing Context